Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

કાઉન્ટ-ડાઉન: 200 સભ્યોનું ગ્રુપ બે પેઢીથી ખેંચે છે ભગવાનનો રથ, મુળ ઘોઘાના વતની ઘોઘા ભોઈ સમાજ

કાઉન્ટ-ડાઉન: 200 સભ્યોનું ગ્રુપ બે પેઢીથી ખેંચે છે ભગવાનનો રથ મુળ ઘોઘાના વતની ઘોઘા ભોઈ સમાજ ખેંચશે ભગવાન જગતન્નાથજીનો રથ જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. મોટાભાગની તમામ તૈયારીઓ પુર્ણ થઈ ચુકી છે ત્યારે ભગવાનના રથને નગરમાં ફેરવવાની પરંપરાગત જવાબદારી ભોઈ સમાજ નિભાવી રહ્યું છે. આ વર્ષે પણ ભોઈ સમાજ ભગવાનનો રથ ખેંચી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીને નગરચર્યા કરાવશે. આ માટેની તમામ તૈયારીઓ ભોઈ સમાજ દ્વારા પુર્ણ કરી દેવામાં આવી છે. જગતન્નાથપુરીમાં ભગવાનના રથ ભોઈ સમાજ દ્વારા ખેંચવામાં આવે છે તે પરંપરા પ્રમાણે ભાવનગરમાં પણ ઘોઘા-ભાવનગર રાજપુત ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનો રથ ખેંચીને ભગવાનને નગરચર્યા કરાવવાની સેવા આપવામાં આપે છે. વર્ષ 2010થી ભાવનગરની રથયાત્રામાં રથ જોડાયો ત્યારથી આ સેવા ભોઈ સમાજ દ્વારા આપવામાં આવે છે. આ અગાઉ ભોઈ સમાજનું એક બેન્ડ હતું જેના સથવારે રથયાત્રા નિકળતી હતી. એ પછી રથ આવ્યા બાદ ભોઈ સમાજ દ્વારા પહિંન્દ વિધી બાદ તમામ સભ્યોને તિલક કર્યા પછી રથ ખેંચવાનો શરૂ કરવામાં આવે છે અને સમગ્ર રૂટમાં નિકળે છે. મુળ ઘોઘાના ગામના વતની હાલમાં ભાવનગરમાં સ્થાયી થયેલા ભોઈ સમાજના 200 સભ્યો દ્વારા સેવા આપવામાં આવે છે. 30 થી 35 સભ્યોની 5 ટીમો દ્વારા વારા ફરતી રથ ખેંચવામાં આવે છે. એક મહિનામાં 4 મીટિંગો કરી તમામ સભ્યોની અનુકુળતાઓ જાણી સમય સમગ્ર ટાઈમ ટેબલ ગોઠવવા માટે આવે છે. તેમની ટીમમાં 10 થી 50 વર્ષની વય જુથના સભ્યો છે જે રથ ખેંચવાની સેવા આપે છે. આ ટીમના ભોજનની વ્યવસ્થા રાકેશભાઈ તરફથી કરવામાં આવે છે. રથ ખેંચવાનું આ કામ કરતા સભ્યોને કોઈ શારિરીક તકલીફ પડે તો રથયાત્રાની સાથે રહેલી એમ્બ્યુલન્સમાં તેમને સારવાર આપવામાં આવે છે.

Advertisement

संबंधित पोस्ट

અંબાજી, સોમનાથ અને પાવગઢ સહિતના મંદિરમાં લાખો દર્શનાર્થીઓ ઉમટયા…

shantishramteam

સારા રાષ્ટ્રનું નિર્માણ કરવા સંપત્તિ નહીં,યુવાધન ની જરૂર છે : સ્વામીજી

Shanti Shram

દિયોદર યુવા સંગઠન દ્વારા દિયોદરથી નડાબેટની દોડ સાથે તિરંગાયાત્રા, નડેશ્વરી માતાજી ના મંદિરે કરાશે રાષ્ટ્રધ્વજ નું ધ્વજારોહણ

Shanti Shram

પ.પૂ. તપાગચ્છાધિપતિ શ્રી આદી ગુરૂભગવંતો વિહાર કરી ભીલડીયાજી તીર્થ પહોચ્યા.

Shanti Shram

શ્રી અયોધ્યાપુરમ તીર્થ મધ્યે ઉપધાન તપનો પ્રારંભ

Shanti Shram

યુવક મહા સંઘ સુરતના હોદેદારોની વરણી કરવામાં આવી, દિયોદર નગરશેઠ પરિવારના તુષાર મહેતા પ્રમુખ તરીકે વરાયા.

Shanti Shram