Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી

મુખ્યમંત્રીએ અમદાવાદમાં ૧.૩૭ કરોડના ખર્ચે નિર્મિત મેમનગર સ્માર્ટ શાળાનું લોકાર્પણ કર્યું. આ અવસરે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.તેમણે કહ્યું કે, આવી શાળાઓ વિદ્યાધામ બને. આ શાળાઓ થકી વિદ્યાર્થીઓ સારા નાગરિક બને અને ભારતના ભવિષ્યનો પાયો બને તેવો આપણે સૌએ સંકલ્પ કરવાનો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ પ્રાથમિક શાળા ના બાળકોને રમતા-રમતાં ભણવાનો ઉદ્દેશ સાકાર કરવા માટે જોયફૂલ લર્નિંગના ક્લાસ બનાવવામાં આવ્યા છે. દરેક બાળકને એ મુજબ શૈક્ષણિક રમકડાથી ભણાવવામાં આવે છે. કલરફૂલ સરસ બેઠક વ્યવસ્થા સાથે દિવાલો પર માસના નામ, વાહનો, પશુ-પંખીઓની ઓળખ, ઋતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ અને ટેબલનું સુંદર ચિત્રકામ કરવામાં આવ્યું છે. આમ બાળ માનસને શિક્ષકો દ્વારા જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો થકી ભણતરની સમજણ આપવામાં આવે છે. તથા શાળામાં બાળકોને રમતગમતની પ્રવૃતિઓ માટે મોકળુ મેદાન મળી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ક્લાસ રૂમોમાં તેમણે પોતે વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.આ અવસરે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, કમિશનર લોચન સહેરા, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવક, શાસનાધિકારી એલ. ડી. દેસાઈ તેમજ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતની યુનિવર્સિટીમાં હીન્દુ સ્ટડીઝ કોર્સ શરુ કરાશે, રાજ્યની આવી પ્રથમ યુનિવર્સિટી બનશે

Shanti Shram

જીટીયુ અમદાવાદ અને એલએન્ડટી એજ્યુ. ટેકના સંયુક્ત ઉપક્રમે એકેડેમીયા-ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ

Shanti Shram

આઠ સ્કૂલમાં 46 અભ્યાસક્રમો ચલાવી રહેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીની મુલાકાત કેન્દ્રીય શિક્ષણ મંત્રી

Shanti Shram

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદના સાયન્સ સીટીથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો

Shanti Shram

એમએસડબલ્યુના છેલ્લા સેમે.નું પરિણામ જાહેર કરો : એનએસયુઆઇ રજૂઆત કરી

Shanti Shram

કોવૈક્સીન કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે અસરકારક છે, એવો દાવો ICMR ના અભ્યાસમાં કરવામાં આવ્યો છે

shantishramteam