Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જવાહર મેદાન ખાતે તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે પ્રદર્શન કમ વેચાણ મેળો યોજાશે તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી આ મેળાની શરૂઆત કરાવશે

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જવાહર મેદાન ખાતે તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે પ્રદર્શન કમ વેચાણ મેળો યોજાશે તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી આ મેળાની શરૂઆત કરાવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામીણ સખી મંડળની બહેનો અને કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ-સહ-પ્રદર્શન માટે જવાહર મેદાન ખાતે આગામી તા. ૨૮ મી જૂનથી સાત દિવસ માટે દરમ્યાન સખી મેળાનું તેમજ વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી તા. ૨૮ મી જૂનના રોજ સાંજે ૫-૦૦ વાગ્યે આ મેળાની શરૂઆત કરાવશે. આ અવસરે શહેરના ગણમાન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.૭ દિવસ ચાલનાર આ મેળામાં ભાવનગર તેમજ અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી (પાપડ, અથાણાં,નમકીન),શુદ્ધ મરી મસાલાં વિગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે. આ મેળા સહ પ્રદર્શનમાં રોજબરોજના ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ સાથે રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૨૦ વર્ષમાં હાથ ધરેલી વિવિધ યોજનાઓ અને તેનાથી રાજ્યના નાગરિકોને થયેલ લાભ અંગેનું પ્રદર્શન પણ યોજવામાં આવનાર છે. શહેરીના સુજ્ઞજનો અને શહેરીજનોએ એક વાર આ મેળાની મુલાકાત લઇને તેમજ કંઈકને કંઇક ચીજવસ્તુઓ ખરીદી ગ્રામ્ય મહિલાઓની મહિલાઓ દ્વારા ઉત્પાદિત અને શુધ્ધ એવી વસ્તુઓ ખરીદી તેમના ઉત્સાહવર્ધન સાથે તેમને આત્મનિર્ભર થવાં પ્રેરિત કરવાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

संबंधित पोस्ट

ઉના તાલુકાના મોટા ડેસર ગામે શાળાના નવા બિલ્ડીંગનું નવ નિર્માણ કરવામાં આવશે

Shanti Shram

પાટણ શહેર ખાતે શૈક્ષણિક હેતુલક્ષી ભૂમિદાન માટે જનરલ સભા યોજાઈ

Shanti Shram

અમદાવાદ જિલ્લામાં માધ્યમિક-ઉચ્ચતર શિક્ષણ બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધ ફરમાવતું આ છે જાહેરનામું

Shanti Shram

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓને નજીવા દરે ચોપડા વિતરણ કરાયું

Shanti Shram

અમદાવાદમાં મંત્રી કુબેર ડીંડોરે કહ્યું, બે વર્ષ સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર-૧ પર, સ્ટાર્ટઅપ માટે બનશે નવું બિલ્ડીંગ

Shanti Shram

અમરેલી જિલ્લામાથી અનેક છાત્રો તબીબી અભ્યાસ માટે યુક્રેન ગયા હતા. જો કે રશીયા યુક્રેન વચ્ચે યુધ્ધ થતા આ છાત્રો પરત ફર્યા હતા

Shanti Shram