Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

 તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી  તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા

તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ખુલ્લી ગટર અને તૂટેલા રસ્તાઓને કારણે દર્દીઓ મચ્છરના ત્રાસથી રાત્રે સુઈ પણ શકતા નથી અને આ સમસ્યાઓ દૂર કરવા માટે હોસ્પિટલનું તંત્ર અને પીઆઈયુ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આ પ્રશ્ને તાકીદે પગલા ભરવામાં ન આવે તો દર્દીઓ અને તેના સગાઓએ આંદોલન કરવાની પણ ચેતવણી આપી છે. હોસ્પિટલની ખુલ્લી ગટરો અને તૂટેલા રસ્તાના પ્રશ્ને હોસ્પિટલના તંત્રવાહકોએ જણાવ્યું છે કે આ અંગેનું કામ પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ એટલે કે પીઆઈયુ દ્વારા કરવાનુ હોય છે. રસ્તા માટે પહેલી તારીખથી જ જગ્યા ખાલી કરી આપવામાં આવી છે. પણ 17 દિવસમાં બાદ પણ પરિસ્થિતમાં ફેર નહીં પડતા ચોમાસામાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના છે. બીજીબાજુ PIU તંત્ર હોસ્પિટલ દ્વારા પુરતો સહકાર નહીં અપાતો હોવાની ફરિયાદ કરી રહ્યું છે. બે તંત્ર વચ્ચેના ઝઘડતી વચ્ચે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે દર્દીઓએ ઉહાપોહ મચાવતા રસોડાની તૂટેલા પાઈપ રિપેરીંગ કરવા હાથ ધરાયું છે.

Advertisement

संबंधित पोस्ट

વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે એક દિવસીય હડતાળ

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લાના તમામ તાલુકા,નગરપાલિકા વિસ્તારોમાં પ્રભારી નિમણૂક કરવામાં આવી.

Shanti Shram

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને કર્યુ પ્રેરક સંબોધન

Shanti Shram

બનાસ બેંક ના પૂર્વ ચેરમેન નું ટૂંકી બીમારી થી અવસાન

Shanti Shram

૧ લી જાન્યુઆરી-૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ પુરા થતાં હોય તેવા તમામ યુવાનોને મતદારયાદીમાં નામ નોંધાવવા કલેકટરશ્રીની અપીલ

Shanti Shram

લઠ્ઠાકાંડમાં એકશન : 6 પોલીસ અધિકારી સસ્પેન્ડ, 2 પોલીસવડાની બદલી,ગુજરાત સરકાર એક્શનમાં

Shanti Shram