Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જીઈબી ઉઘાડી લૂંટ સામે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યુ

દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા જીઈબી ઉઘાડી લૂંટ સામે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યુ શિગવડ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી હોવાને લઇ ગુજરાતમાં વીજળી ઉત્પાદન કરતાં સરકારી સાહસોને રાજ્ય સરકાર ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર પાસ થવું ગુજરાત સરકારના આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાત નાગરિકોને બેવડી રીતે ભોગવવી પડે છે જ્યારે આપ ગુજરાત પ્રદેશ સમિતિ જયેશ સંગાડા જણાવ્યું કે ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007માં 25 વર્ષ સુધી વીજળી ખરીદવાના જે ફિક્સ ભાવ નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટના દબાણ હોવાના લીધે ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપીએ એને લીધે થોડા ટાઈમ એપ્રિલ 2021માં પ્રતિયુનટ સરચાર્જ 1.80 રૂપિયા હતો જે જુલાઈ 2021માં પ્રતિ યુનિટ 1.90 ઓક્ટોબર 2021 2 રૂપિયા જાન્યુઆરી 2022માં 2.10 રૂપિયા ફેબ્રુઆરી 2022 2.20 રૂપિયા એપ્રિલ 2022 2.30 રૂપિયા સરચાજૅ થયા આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા ભોગવી રહી છે એના માટે આપ દાહોદ પૂર્વ જિલ્લા પ્રભારી રમસુભાઈ હઠીલા એ જણાવ્યું ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પૂરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બજારમાંથી ખૂબ ઊંચા ભાવે વિજળી ખરીદવી પડે છે સરકારે ખુલ્લી બજારમાંથી વીજળી ખરીદી એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીનો ટેકસમાં વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવુ વધી રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના હાલ દિલ્હી અને પંજાબ એમ બે રાજ્યોમાં સરકાર છે ત્યાંના નાગરિકો ને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી મા આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોની પાસેથી ખૂબ ઊંચા દરે વિજળીના ભાવો વસૂલ કરવામાં આવે છે જો આમ આદમી પાર્ટી ગુજરાત ના નાગરિકોની થયેલી ઉઘાડી લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્યવ્યાપી કાર્યક્રમ હાથ ધરવામાં આવશે જ્યારે ગુજરાતરાજ્યના મુખ્ય મંત્રી પાસે આમ આદમીપાર્ટી ની માગણી છે કે ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી મા આપવામાં આવે જેથી મોંઘવારીમાં પિસાઈ રહેલા મધ્યમ વર્ગના લોકોને રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનો નિર્માણ કરી શકે આપ સિંગવડ તાલુકા પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ હઠીલા જણાવ્યું કે લીમખેડા તથા સિંગવડ તાલુકા માં અપૂરતો વીજળી પુરવઠો છે છતાં જનતા મોંઘા વીજ બીલો થી ત્રાહિમામ પોકારી ઉઠી છે જ્યારે આવનાર સમયમાં આપ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું

Advertisement

संबंधित पोस्ट

કોંગ્રેસે અમદાવાદમાં બનેલા નરેન્દ્ર મોદી સ્ટૅડિયમનું નામ બદલીને આ નામ રાખવા કરી માંગ…

shantishramteam

નરેન્દ્ર મોદી આવશે અમદાવાદ સાથે આવશે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ

Shanti Shram

દીઓદર તાલુકામાં “શૌચાલય કૌભાંડ”માં અટવાતી પ્રજા

Shanti Shram

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે નગરપાલિકા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ની કારોબારી બેઠક યોજાઇ

Shanti Shram

ભારતમાં નીલમ સંજીવ રેડ્ડી એકમાત્ર નેતા હતા જે રાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા

Shanti Shram

દીઓદર સરપંચ પદ માટે ઉમેદવારી નોધાવતા જમનાબેન ભાટી

Shanti Shram