Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

ઉત્તરાખંડ ખાતે ચારધામ યાત્રાએ જતાં યાત્રાળુઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા સૂચના

બારડોલી : ભારત તેમજ વિશ્વ માંથી ઉત્તરાખંડ ખાતે યોજાતી ચાર ધામ યાત્રા અર્થે શ્રધ્ધાળુ ઓ આસ્થા થી જતા હોય છે. આ ચાર ધામ યાત્રાએ જનાર યાત્રાળુ ઓને કોઇ અગવડ ના સર્જાય તે હેતુસર ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાળુ ઓના રજિસ્ટ્રેશન ની ખાસ વ્યવસ્થા નિયત કરવામાં આવેલ છે. જેના માટે વેબસાઇટ જાહેર કરવામાં આવી છે. આ વેબસાઇટ  https://registrationandtouristcare.uk.gov.in/ અને Tourist Care Uttarakhand(Android /IOS) મોબાઇલ એપ્લીકેશન અને ટોલ ફ્રી નંબર ૦૦૧૩૫૧૩૬૪ ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ગુજરાત રાજય માંથી પણ અસંખ્ય લોકો ચાર ધામ યાત્રાએ જતા હોય છે. ચાર ધામ યાત્રાએ જતા તમામ યાત્રાળુઓ ભારત સરકારની ઉકત સુવિધાનો લાભ લઇ શકે તે હેતુ સર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ચાર ધામ યાત્રાએ નીકળે તે જ હિતાવહ છે. જેથી તાપી  જિલ્લાની જાહેર જનતાને ચાર ધામ યાત્રાએ જવા પહેલા ઉપરોક્ત વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવવા આર. આર. રાવલ, ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

संबंधित पोस्ट

હવે વારાણસીના જગપ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં લગ્ન જેવા શુભ કાર્ય કરી શકશો

Shanti Shram

વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્યોત્સવ- પોષી પૂનમની ભવ્ય ઉજવણી

Shanti Shram

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રીમતી ર્ડા. નીમાબેન આચાર્ય મગરવાડા ખાતે માણિભદ્રવીરના દર્શનાર્થે પધાર્યા

Shanti Shram

યુવક મહા સંઘ સુરતના હોદેદારોની વરણી કરવામાં આવી, દિયોદર નગરશેઠ પરિવારના તુષાર મહેતા પ્રમુખ તરીકે વરાયા.

Shanti Shram

દીઓદર શાંતિનાથ જીનાલયે સાલગીરી ઉજવાઈ

Shanti Shram

ધાટલોડીયા મધ્યે પૂ.શ્રીનો ૬૦મો જન્મોત્સવ યોજાયો.

Shanti Shram