Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

કેન્દ્ર સરકારે લોન્ચ કરી અગ્નિપથ ભરતી યોજના, જાણો યુવાઓને કેવી રીતે મળશે લાભ

કેન્દ્ર સરકારે આજે સેનામાં ભરતી માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ શરૂ કરી છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે યોજનાની શરૂઆત કરતા કહ્યું કે, આ યોજનાથી યુવાનોને સેનામાં ભરતીની તક મળશે અને રોજગાર મળશે. તેમણે કહ્યું કે, આ યોજના સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલને ઘટાડવાની દિશામાં સરકારના પ્રયાસોનો એક ભાગ છે.

આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. ત્રણેય સેનાના વડાઓએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ યોજનાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ યોજના હેઠળ યુવાનો થોડા સમય માટે સેનામાં ભરતી થઈ શકશે. આ યોજનાને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં જોડાઈ શકશે અને દેશની સેવા કરી શકશે.

Advertisement

આ સ્કીમથી યુવાનોને આ રીતે મળશે તક

‘અગ્નિપથ ભરતી યોજના’ હેઠળ, યુવાનો ચાર વર્ષના સમયગાળા માટે સેનામાં જોડાશે અને દેશની સેવા કરશે.

Advertisement

ચાર વર્ષના અંતે, લગભગ 80 ટકા સૈનિકોને ફરજમાંથી મુક્ત કરવામાં આવશે અને વધુ રોજગારની તકો માટે સશસ્ત્ર દળો તરફથી સહાય પ્રાપ્ત થશે.

ચાર વર્ષ પછી પણ માત્ર 20 ટકા જવાનોને જ તક મળશે. જો કે, આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે સમયે સેનાની ભરતીઓ બહાર આવી હશે.

Advertisement

ઘણા કોર્પોરેશનો રાષ્ટ્રની સેવા કરનારા પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ યુવાનો માટે નોકરીઓ અનામત રાખવામાં પણ રસ લેશે.

Advertisement

संबंधित पोस्ट

સાબરકાઠાં જીલ્લામાં આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત બેંકો દ્વારા ૭૫ સપ્તાહમાં રૂ. ૬૮૦ કરોડનું વિવિધ યોજનાના લાભાર્થીઓને ધિરાણ અપાયું

Shanti Shram

ભાવનગરમાં પેટ્રોલપંપ પર બોર્ડ લાગ્યા, ટુ વ્હીલરમાં 100, ફોર વ્હીલરમાં પેટ્રોલ 500 રૂપિયા અને ડીઝલ 1000 રૂપિયાની મર્યાદામાં અપાશે લોકો બિનજરુંરી રોતે વધુ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગતા પેટ્રોલ પંપના માલિકોએ

Shanti Shram

શું તમે Prime Minister ને મોકલવા માંગો છો તમારી ફરિયાદ?

Shanti Shram

જાણો સાવ અડીને દરિયો હોવા છતાં આ મંદિરની અંદર નથી આવતો સમુદ્રની લહેરોનો અવાજ!!!

Shanti Shram

તમને પણ થશે આશ્ચર્ય :દૂધીની છાલથી થતા ફાયદા જાણીને

shantishramteam

અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતનને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. તેઓ ગામનાં દરેક ઘરે સોલર ફિટિંગ કરાવી રહ્યા છે,

Shanti Shram