Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

બોબળી નદીનો પારો તૂટતા ખેતરનું ધોવાણ : ખેડૂતો પાયમાલ : રીપેરીંગ કરવામાં નહીં આવે તો ના છુટકે કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી કાર્યપાલક ઇજનેરની કચેરીને ઘેરાવ કરીને તાળાબંધી

પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી હોય છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પણ પાણી કુતિયાણા થઇને દરિયામાં જાય છે. પરંતુ નદીના કાંઠે રહેલા ખેતરોનું ધોવાણ થતા ખેડૂતો પાયમાલ થઇ ગયા તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. બોબળી નદીનો પારો તૂટતા છેલ્લા બે વર્ષથી ૧૪ વિઘા ખેતરમાં આ પાણી ફરી વળે છે. જેના કારણે ખેડૂતને મોટુ નુકશાન થઇ રહ્યું છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસને સાથે રાખી ક્ષાર અંકુશ વિભાગને રજુઆત કરી હતી અને ૮ દિવસની અંદર રીપેરીંગ કરવામાં નહીં આવે તો કાર્યપાલક ઇજનેરની કચેરીને ઘેરાવ કરી તાળાબંધીની ચિમકી પણ કોંગ્રેસે ઉચ્ચારી છે.

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ચોમાસાની ઋતુમાં નદીઓમાં ઘોડાપૂર જોવા મળે છે. નદી કાંઠે રહેલા ખેતરોમાં આ પાણી ફરી વળે છે. જેના કારણે ખેડૂતને નુકશાની વેઠવાનો વારો આવે છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મહિયારી ગામના ખેડૂત મેરામણ કરશન પરમાર તેમજ મશરી માલદે પરમારના ખેતરની અંદર બોબળી નદીનો પારો તૂટતા છેલ્લા બે વર્ષથી ખેતરનું ધોવાણ થઇ રહ્યું છે. અનેક વખત ચૂંટાયેલા પ્રતિનિધીઓને રજુઆત કરવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ખેડૂતોએ કોંગ્રેસના આગેવાનને જાણ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના આગેવાનો સાથે મહિયારી ગામે સ્થળ મુલાકાત લીધી હતી. નિરીક્ષણ કરતા કોંગ્રેસને એવું જાણવા મળ્યું કે ખરેખર બોબળી નદીનો પારો રીપેરીંગ કરવામાં નહીં આવે તો ખેડૂતો કોઇપણ જાણનું વાવેતર કરી શકશે નહીં અને હજુ પણ જો મોટુ ધોવાણ થશે તો ખેડૂતની જમીનો વાવેતર લાયક નહીં રહે અને જમીન ખારાશ વાળી થઇ જશે અને તેઓની આજીવીકા છીનવાઇ જશે. ખેડૂતો આવનારા દિવસોમાં આફતના હિસાબે ના છૂટકે આપઘાત કરવા સીવાય કોઇ રસ્તો રહેશે નહીં તેમ જણાવી કોંગ્રેસે ક્ષાર અંકુશ વિભાગના ઇજનેરને રૂબરૂ મળી રજુઆત કરી હતી. તેમજ કોંગ્રેસે એમ પણ કહ્યું કે જો ૮ દિવસની અંદર બોબળી નદીનો પારો રીપેરીંગ કરવામાં નહીં આવે તો ના છુટકે કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી કાર્યપાલક ઇજનેરની કચેરીને ઘેરાવ કરીને તાળાબંધી કરશે તેવી પણ ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે. ત્યારે આ મુદ્દે ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેર જયેશ કારાવદરાએ જણાવ્યું હતું કે ખેડૂતની રજુઆત મળી છે, સ્થળ મુલાકાત લઇ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

संबंधित पोस्ट

અમદાવાદમાં સુરક્ષા-સર્વેલન્સમાં દાખલારૂપ બનશે 145મી રથયાત્રા, અત્યાધુનિક સર્વેલન્સ પદ્ધતિ, ટેક્નોલોજીનો ઉપયોગ કરશે પોલીસ

Shanti Shram

ડિ કેબીન, અમદાવાદ મધ્યે પ. પુ.આ.શ્રી રત્નચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં  દીક્ષા મહોત્સવ

Shanti Shram

પરમ પૂજ્ય વડીલ નાયક આચાર્ય શ્રી વિજય યશોભદ્ર સૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણા થી અનુકંપા દાન.

Shanti Shram

શ્રી કુંથુનાથ જૈનસંઘ, અમદાવાદ મધ્યે પૂ.ગચ્છાધિપતિ શ્રી નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

Shanti Shram

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે: કાલે કરશે રાજકોટમાં આધુનીક સાયબર ક્રાઇમ સેન્ટરનું ઇ-લોકાર્પણ

Shanti Shram

સચાણા-વિરમગામ રોડ પર અકસ્માતમાં પૂજ્ય સાધ્વી ભગવંતનો કાળધર્મ, થરા મધ્યે પાલખી યોજાઈ.

Shanti Shram