



પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા આદર્શ વિદ્યા સંકુલ ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ શિબિર યોજાઈ હતી . તેમાં સંસોધિત હિજરાયલી ખારેખ વાવી અઢળક નફો લેવાનું સૂચન કર્યું . તેમજ રસાયણિક ખાતરોની જગ્યાએ ગૌમૂત્ર અને ગૌ ગોબર દ્વારા કુદરતી છાણનો ખેતીમાં મહત્તમ ઉપયોગ કરી જમીનને બચાવવાનું સૂચન કર્યું . આઉપરાંત કૃષિ યુનિવર્સિટી સંસોધિત દિવેલા નંબર 8 અને કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો એગ્રીકલ્ચર , ડેરી ટેકનોલોજી , વેટેનરી સાયન્સ તેમજ હોમ સાયન્સ જેવા અભ્યાક્રમોમાં ખેડૂતોના બાળકોને જવામાટે માર્ગદર્શન આપ્યું . આ કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞ શાંતિભાઈ પટેલ દ્વારા ખેડૂતો ને બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી હતી . આ સમારંભના અધ્યક્ષ તેમજ અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ રામજીભાઈ ચૌધરી , કો – ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી , સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના નિવૃત પ્રાધ્યાપક તજજ્ઞ શાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાટણ માં પુનાભા જન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂત તાલીમ યોજાઈ