Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું રાષ્ટ્રીય

વિશ્વ તમાકુ નિષેધ દિવસે પાટણ જિલ્લા પંચાયતના કર્મચારી વ્યસન મુક્ત બન્યા

વિશ્વ તમાકુ નિષેધ દિવસે પાટણ જિલ્લા પંચાયતના કર્મચારી વ્યસન મુક્ત બન્યા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને ” વિશ્વ તમાકુ નિષેધ દિવસ ” તરિકે ઉજવવામાં આવે છે . આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે . વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે . જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે . તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે . જે પૈકીના ૫૦ લાખ લોકો પોતેજ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે ઉપયોગ કરતા હોય છે જ્યારે ૬ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે . ત્યારે આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પાટણ જિલ્લા પંચાયતમાં આઈ . ડી . એસ . પી શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ પટેલે પણ 25 વર્ષ સુધી તમાકુનું સેવન કર્યું હતું . પરંતુ સ્ટાફ મિત્રોએ રાકેશભાઈને વિનંતી કરતા રાકેશભાઈએ તમાકુ છોડી દઈ યુવાનોને પણ તમાકુ છોડી તંદુરસ્ત જીવન જીવવા અપીલ કરી હતી

संबंधित पोस्ट

જાણો રસી લેતા પેહલા અને બાદ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ…

ShantishramTeamA

કેન્દ્રએ કહ્યું, હવે 18+ના લોકોને વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની જરૂર નથી, ડૉ.જયંતિ રવિ બોલ્યાં, ગુજરાતમાં જે પ્રક્રિયા છે એ જ યથાવત રહેશે

ShantishramTeamA

આજે PM મોદીએ સોમનાથ મંદિરનાં આ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ…

ShantishramTeamA

ગ્રીસથી સીધા બેંગલુરુ જશે PM મોદી, ઇસરોના વૈજ્ઞાનિકોને મળીને આપશે અભિનંદન

Shanti Shram

સિંગર શ્રેયા ઘોષાલે આપ્યો પુત્રને જન્મ

ShantishramTeamA

PM મોદી સાથે જમ્મુ કાશ્મીર ના નેતાઓની બેઠક અગાઉ જમ્મુમાં મહેબૂબા મુફ્તી એ કર્યું વિરુદ્ધ પ્રદર્શન

ShantishramTeamA