Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ   કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે

નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલા હેલીપેડ મેદાનમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યના 25 જિલ્લામા નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે લોકોને લાવવા માટે નડિયાદ ડિવિજનની 150 મળી 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ છે. 29 મે ના રોજ નડિયાદ ખાતે રાજ્યકક્ષાનો આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નીગમ દ્વારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાંમાં હજારો લોકો ઉમટશે. ત્યારે લોકોને લાવવા લઈ જવા માટે નડિયાદ ડિવિજનની 150 કરતા વધુ અને અન્ય ડિવિજનની મળી 400 કરતા વધુ એસ ટી બસોની ફાળવણી કરવામા આવી છે. આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીયા હાજર રહેશે. રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા અને 19 રહેણાંક અને 29 બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ સંગઠનની ટીમ પણ કામે લાગી ગઈ છે. ગામડા જિલ્લાના ગ્રામ્ય વિસતારોમાંથી લોકોને લાવવા બસો ફાળવાઈ છે.

संबंधित पोस्ट

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાને લઇ અંબાજી મંદિર તા. ૫ મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

Shanti Shram

કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મુકામે યાત્રાળુઓ માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સફાઇ કર્મીઓને મીઠાઇનું વિતરણ કર્યુ

Shanti Shram

દિયોદર તાલુકાના દેલવાડાના આંગણે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

Shanti Shram

વડોદરા શહેર ના આજવા રોડ પર આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનું વર્કશોપનું આયોજન કરાયું

Shanti Shram

જાણો Electric Car કે Bike ખરીદનાર ને સરકાર શુ રાહત આપશે?

Shanti Shram

70 દિવસથી AMTS-BRTS બંધ રહેતાં AMCએ કરોડોની આવક ગુમાવી

ShantishramTeamA