Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે: કાલે કરશે રાજકોટમાં આધુનીક સાયબર ક્રાઇમ સેન્ટરનું ઇ-લોકાર્પણ

ગુજરાતના રાજકારણમાં આજે જબરી ચહલ પહલ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની મુલાકાત પર છે. સવારે અમિત શાહે દ્વારકામાં જગત મંદિરમાં કાળીયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકવ્યું હતું. આવતીકાલે પણ ગૃહ મંત્રી ગુજરાતમાં છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઇ શાહનું શુક્રવારે રાત્રે માદરે વતન ગુજરાતમાં આગમન થયુ હતું.આજે સવારે 11 કલાકે તેઓએ દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકા હેલીપેડ ખાતે તેઓનું ઉતરાણ કરી સીઘ્ધા જ જગત મંદિરે દ્વારકાધીશના દર્શનાર્થે પહોચી ગયા હતા. જયાં તેઓએ ભગવાનની પાદુકાનું પુજન કર્યુ હતું. ત્યારબાદ તેઓએ મોજપ સ્થિત કમાન્ડો સેન્ટરની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉ5સ્થિતિમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે સહકાર સે સમૃધ્ધી સંમેલન યોજાવાનું છે. કેન્દ્રીય સહકાર મંત્રી હોવાના નાતે અમિતભાઇ શાહ આ સંમેલનમાં પણ હાજરી આપશે. આવતીકાલે પણ ગૃહમંત્રી ગુજરાતમાં છે.રવિવારે તેઓના હસ્તે સવારે રાજકોટમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસના બિન રહેણાંક આવાસ, રહેણાંક આવાસ તથા સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે તેઓના હસ્તે સાવરકુંડલા તાલુકાના વંડામાં બનાવવામાં આવેલ પોલીસ સ્ટેશનના વડા ભવનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાજયમાં નિર્માણ પામેલા જુદા જુદા પોલીસ ભવન, એસ.પી. કચેરી, પોલીસ લાઇનનું નડીયાદથી એક સાથે ઇ-લોકાર્પણ કરશે. જેમાં રાજકોટ અને સાવરકુંડલાના વંડા ઉપરાંત લાલપુર પોલીસ સ્ટેશન, કાલાવાડ, જામજોધપુર, પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરવામાં આવશે.

Advertisement

संबंधित पोस्ट

આ હોસ્પિટલ માં ઓક્સિજન ની અછત સર્જાતા જોવા મળ્યો અફરા તફરી નો માહોલ…

shantishramteam

જી.પં.શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેનશ્રીનું સન્માન કરાયું

Shanti Shram

વિજયભાઇ રૂપાણીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટને કેન્દ્રની મળી પરવાનગી

shantishramteam

ગાંધીનગર મધ્યે જૈનાચાર્ય સાથે અનુપમંડળ રાષ્ટ્રદોહ પ્રવૃતિના વિષયને લઈને બેઠક યોજાયેલ

Shanti Shram

આનંદનગર મધ્યે પૂજ્ય ગચ્છાધિપતી શ્રીની પાવન પધરામણી

Shanti Shram

અમદાવાદના IPSને રસીના બે ડોઝ લીધા હોવા છતાં થયો કોરોના, રસી મુકાવવા લોકોને કરી અપીલ..

shantishramteam